Winning entries could not be determined in this language pair.There was 1 entry submitted in this pair during the submission phase. Not enough entries were submitted for this pair to advance to the finals round, and it was therefore not possible to determine a winner.Competition in this pair is now closed. |
૫૦ વર્ષ અગાઉ જે ક્ષણે નીલ આર્મસ્ટ્રોન્ગે ચન્દ્રની સપાટી પર પગ મુક્યો ત્યારે દુનિયાભરમાં ક્ષોભ, અભિમાન અને કૌતુક પ્રેરાયા. આ અખબારની દલીલ હતી કે, ’ માનવી આજ પછી એની મરજી અને કૌશલ્ય પ્રમાણે વિશ્વમાં ક્યાંય પણ જઇ શકશે...મોડાવહેલો માનવી ચોક્કસપણે બીજા ગ્રહો પર જશે.’ પણ ના. ચન્દ્ર પરનું ઉતરાણ એ ચિત્તભ્રમ હતો, ફ઼ક્ત લક્ષ્ય સાધવા નહિ પણ અમેરિકાનું અસામાન્ય સામર્થ્ય દર્શાવવા હાંસલ કરેલ લક્ષ્ય હતું. એક વાર કર્યા પછી એનું પુનરાવર્તન કરવાની જરુર ના પડી. ફ઼ક્ત ૫૭૧ લોકો ભ્રમણકક્ષામાં ગયા છે. ૧૯૭૨ પછી શિકાગો અને ડેસ મોઇન્સ વચ્ચેના અંતરથી વધારે દૂર અવકાશમાં કોઇ આગળ વધ્યું નથી. આવતા ૫૦ વર્ષો બહુજ અલગ હશે. ગગડતી કિંમતો, નવી ટેક્નોલોજીઓ, ચીની અને ભારતીય મહત્વકાંક્ષા અને સાહસિકોની નવી પેઢી સશક્ત અવકાશ વિકાસની ખાતરી આપે છે. એમાં લગભગ ચોક્કસપણે ધનિકો માટે પ્રવાસ અને બધા માટે બહેતર સંપર્ક નેટવર્ક; લાંબે ગાળે કદાચ ખનીજોનું ઉત્ખનન અને જાહેર પરિવહનનો પણ સમાવેશ થાય. અવકાશ એ પૄથ્વીનું જ વિસ્તૄત સ્વરૂપ બની રહેશે- ફ઼ક્ત સરકારો નહિ પણ ખાનગી વ્યક્તિઓ અને પેઢીઓનો મંચ. પરંતુ આ વચન અમલમાં મુકવા વિશ્વે અવકાશી કાયદાઓનું તંત્ર બનાવવું પડે- બેઉ, શાંતિના સમય માટે અને જરૂર પડે તો યુદ્ધ માટે. અત્યાર સુધી અવકાશનો વિકાસ નીચલા સ્તરની પ્રવૄત્તિઓને બહેતર બનાવવા થયો છે. મુખ્યત્વે પ્રસારણ અને યાતાયાત. હવે બે ચીજમાં બદલાવ આવી રહ્યો છે. પહેલું, ભૌગોલિક રાજકારણ માનવીઓને છીછરી પૄથ્વીની ભ્રમણકક્ષાની પાર મોકલવા દબાણ વધારી રહ્યું છે. ચીન ૨૦૩૫ સુધીમાં ચંદ્ર પર માનવીઓને ઉતારવાની યોજના બનાવી રહ્યું છે. પ્રમુખ ડોનાલ્ડ ટ્રંપની સરકાર ૨૦૨૪ સુધીમાં અમેરીકનો ત્યાં પાછા જાય એવું ઇચ્છે છે. ઘટતી કિંમતો આ દેખાડાને પહેલા કરતાં વધુ પરવડે એવું બનાવે છે. એપોલોની કિમત અમુક સો કરોડો ડોલરમાં હતી (આજની કિમતે). હવે ટિકિટની કિમત અમુક દસ કરોડોમાં છે. [...] અવકાશને પશ્ચિમના ઉન્મત રોમાંચ તરીકે આગળ કરવું એ ભુલ છે, એક અરાજક સરહદ જ્યાં માનવતા બધા બંધનો ફ઼ગાવી દઇ પોતાના ભાગ્યને ફ઼રી શોધી શકે. અવકાશ પોતાનું વચન પાળી શકે એ માટે સંચાલન જરૂરી છે. એવા સમયે જ્યારે વિશ્વ લોખંડના સળીયા અને સોયાબીનના પાર્થિવ વેપાર માટે નિયમો ઘડવા સહમત નથી થતું ત્યારે આ બહુ મોટી વાત લાગે. પણ એના વગર પૄથ્વીની પેલે પાર જે સંભાવનાઓ છે એ ફ઼ળીભુત થવામાં ઓછામાં ઓછા ૫૦ વરસ લાગશે. ખરાબમાં ખરાબ અવકાશ પૄથ્વીની તકલીફ઼ોમાં વધારો કરે. | Entry #27385 — Discuss 0 — Variant: Not specified
|